સુરત, 2026: શિક્ષણ ક્ષેત્રની અગ્રણી કંપની ફિઝિક્સવાલા (PW) એ તેના વિદ્યાર્થીઓના જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) એડવાન્સ્ડ 2026માં થયેલા ઉત્તમ પ્રદર્શનની ઉજવણી કરી છે. સુરતના મનન કનાણી (AIR 465), પ્રણય ગાંધી (AIR 1449) અને સોહમ હિરપરા (AIR 2261) સહિતના વિદ્યાર્થીઓએ ફિઝિક્સવાલા તરફથી શાનદાર પરિણામો નોંધાવ્યા છે.
આયોજક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર પ્રેસ રિલીઝ મુજબ, JEE એડવાન્સ્ડ 2026ની બંને પેપર-1 અને પેપર-2 પરીક્ષામાં કુલ 1,79,694 ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાંથી 56,880 ઉમેદવારો સફળતાપૂર્વક લાયક ઠર્યા છે.
ફિઝિક્સવાલાના સ્થાપક અને CEO અલખ પાંડેએ જણાવ્યું હતું કે, “JEE એડવાન્સ્ડ 2026 પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરનાર દરેક વિદ્યાર્થીને હું તેમની મહેનત અને દૃઢ સંકલ્પ માટે અભિનંદન પાઠવું છું. જેમને આજે પોતાની અપેક્ષા મુજબ પરિણામ મળ્યું નથી, તેમણે યાદ રાખવું જોઈએ કે એક માત્ર પરીક્ષા તમારી ક્ષમતા અથવા ભવિષ્યની સફળતાને નિર્ધારિત કરતી નથી. શિક્ષણ એક લાંબી યાત્રા છે અને આ માત્ર એક પગથિયો છે. તેથી હિંમત ન હારશો, આત્મવિશ્વાસ જાળવી રાખશો અને આગળ મળનારી નવી તકોનો સ્વીકાર કરશો.”
ફિઝિક્સવાલા JEE, NEET સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારીના કોર્સિસ તેમજ શાળા અભ્યાસક્રમ માટે સહાય પૂરી પાડે છે. કંપની સમગ્ર ભારતમાં ઑનલાઇન પ્લેટફોર્મ, હાઇબ્રિડ સેન્ટર્સ અને ઑફલાઇન કોચિંગ સંસ્થાઓ દ્વારા પોતાની સેવાઓ આપે છે. શહેરમાં આવેલા PW વિદ્યાપીઠ કેન્દ્રો વિદ્યાર્થીઓને સુવ્યવસ્થિત પરીક્ષા તૈયારી, નિયમિત શૈક્ષણિક મૂલ્યાંકન અને ડાઉટ રિઝોલ્યુશન માટે સહાય પૂરી પાડે છે.