શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે યોજાયેલી CBSE ધોરણ 12 બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
સુરત : વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોના માર્ગદર્શન તથા વાલીઓના સહકારથી શાળાએ ફરી એકવાર શ્રેષ્ઠ શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરી છે.
આ વર્ષે પરીક્ષામાં 28 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 18 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શાળાની સફળતામાં વધારો કર્યો છે.
આર્ટ્સ પ્રવાહમાં ગુપ્તા અંશિકા પ્રમોદે 500 માંથી 492 ગુણ મેળવી 98.4% સાથે સમગ્ર શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. કોમર્સ પ્રવાહમાં જયદીપ પારેખે 500 માંથી 481 ગુણ મેળવી 96.2% સાથે ઉત્કૃષ્ટ સફળતા મેળવી હતી. આર્ટ્સ પ્રવાહમાં અંજુકુમારી કશ્યપે 500 માંથી 477 ગુણ મેળવી 95.4% સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
શાળા સંચાલન, પ્રિન્સિપાલ તથા સ્ટાફ દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
શાળા પરિવાર દ્વારા મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ પટેલનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેમના સતત પ્રોત્સાહન, માર્ગદર્શન અને સહકારથી સંસ્થા સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે.