સુરત, તા. 11 જૂન 2026
સમાજમાં શિક્ષણનું મહત્વ વધે અને આર્થિક પરિસ્થિતિના કારણે કોઈપણ વિદ્યાર્થીનું શિક્ષણ અધૂરું ન રહે તેવા ઉદ્દેશ્ય સાથે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા “આજીવન શિક્ષણ સહાય યોજના” અમલમાં મૂકવામાં આવી છે.
ફાઉન્ડેશનના પ્રેરણાસ્ત્રોત શ્રી પિયુષભાઈ ભૂરાભાઈ દેસાઈ (નાણોટા) ના સહયોગથી ધોરણ 5 થી લઈને કોલેજ સુધી અભ્યાસ કરતા દીકરા અને દીકરીઓ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પસંદગી પામેલા વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ દરમિયાન જરૂરી શિક્ષણ સહાય આપવામાં આવશે.
હાલમાં ફોર્મ ચકાસણી અને પસંદગી પ્રક્રિયા ચાલુ છે. અરજદારોની સંખ્યા વધુ હોવાથી ફોર્મનું મૂલ્યાંકન તબક્કાવાર કરવામાં આવી રહ્યું છે. તેથી જેમ જેમ પ્રક્રિયા પૂર્ણ થતી જશે તેમ તેમ પસંદગી પામેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મોબાઇલ મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.
જે વિદ્યાર્થીઓએ હજુ સુધી ફોર્મ ભર્યું નથી અથવા જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના બાકી છે, તેઓએ વહેલી તકે ફાઉન્ડેશનની ઓફિસે સંપર્ક કરી પ્રક્રિયા પૂર્ણ કરવાની વિનંતી કરવામાં આવે છે.

જરૂરી દસ્તાવેજો:
વિદ્યાર્થીનું આધાર કાર્ડ
પિતાનું આધાર કાર્ડ
છેલ્લી માર્કશીટ
લાઇટ બિલ
2 પાસપોર્ટ સાઇઝ ફોટા
ઓફિસ સરનામું: G-8, Empire State Building, Udhna Ring Road, Surat
સંપર્ક: 9638086191
7490886191
શિક્ષણ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના સંકલ્પ સાથે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન સતત કાર્યરત છે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવા અપીલ કરે છે.
– હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન, સુરત