બાળકો માટે વિજ્ઞાન-સમર્થિત સુખાકારી : ‘વાસુ સુવર્ણપ્રાશન ડ્રોપ્સ’ના ફાયદા હવે ક્લિનિકલી માન્ય

વડોદરા : વાસુ સુવર્ણપ્રાશન ડ્રોપ્સે, બાળકોના એકંદર સ્વસ્થ વિકાસમાં સહાય કરવામાં ક્લિનિકલી રીતે મહત્વપૂર્ણ લાભદાયી પ્રદર્શન કર્યું છે, એવું તાજેતરના સ્વતંત્ર ક્લિનિકલ અભ્યાસના તારણો દ્વારા પ્રમાણિત થયું છે. નવા ક્લિનિકલ ડેટાએ આ ડ્રોપ્સને બાળકોના સર્વાંગી વિકાસ માટે ફાયદાકારક પૂરક તરીકે સમર્થન આપ્યું છે. આ સંશોધન, આ પરંપરાગત આયુર્વેદિક ફોર્મ્યુલેશન માટે વૈજ્ઞાનિક માન્યતા પ્રદાન કરે છે, જેનો ઉપયોગ લાંબા સમયથી બાળ કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે થતો રહ્યો છે.

નોંધનીય છે કે, ઓપન લેબલ ક્લિનિકલ અભ્યાસમાં 90 દિવસથી વધુ સમય સુધી દરરોજ આપવામાં આવતા વાસુ સુવર્ણપ્રાશન ડ્રોપ્સ(ટીપાં)ની અસરકારકતા અને સલામતીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં 0 થી 16 વર્ષની વયના 35 બાળકોએ ભાગ લીધો હતો અને દરેક સહભાગીને ઉંમર અનુસાર ડ્રોપ્સના ડોઝ આપવામાં આવ્યાં હતાં, જેના પરિણામોનું મુલ્યાંકન તેમના વિકાસ, રોગપ્રતિકારક શક્તિ, જ્ઞાનાત્મક કાર્ય, ઊંઘની ગુણવત્તા અને શારીરિક સ્વાસ્થ્યના આધારે કરવામાં આવ્યું હતું.

આ અભ્યાસના તારણો અનુસાર, બાળકોએ શરીરના વજન અને શારીરિક કલ્યાણ સહિત મુખ્ય વિકાસ સૂચકાંકોમાં સમગ્રપણે સુધારો દર્શાવ્યો હતો. માળખાગત પ્રશ્નાવલીઓ દ્વારા મૂલ્યાંકન કર્યા મુજબ, ધ્યાન અને એકાગ્રતાના સ્કોર્સમાં સુધારો થયો હતો, જ્યારે માતાપિતાએ સહભાગીઓમાં સારી ઊંઘની ગુણવત્તાની જાણ કરી હતી.

આ અભ્યાસમાં ટ્રાયલ સમયગાળા દરમિયાન, વારંવાર થતા ઉપલા શ્વસન માર્ગના ચેપના પ્રકરણમાં ખુબજ પ્રોત્સાહક પરિણામો જોવા મળ્યા હતા. આની સાથે જ, સીરમ IgG અને IgA સ્તરોમાં પણ સુધારો જોવા મળ્યો હતો, જે રોગપ્રતિકારક પ્રતિભાવમાં વધારો દર્શાવે છે.

આ અભ્યાસ દરમિયાન, કોઈ પ્રતિકૂળ અસરો નોંધાઈ ન હતી, તેથી આ ફોર્મ્યુલેશન બધા વય જૂથોમાં સારી રીતે સહન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. અનુપાલન સ્તર ઉત્તમ હોવાનું નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, બધા માતાપિતાએ તેમના બાળકોમાં સમગ્ર વિકાસ, સહનશક્તિ અને રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થયાની માહિતી આપી હતી, જ્યારે 97% લોકોએ ભવિષ્યના ઉપયોગ માટે ઉત્પાઆદનની ભલામણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

વાસુ સુવર્ણપ્રાશન ડ્રોપ્સના નિર્માતા વાસુ હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર હાર્દિક ઉકાણીએ જણાવ્યું હતું કે, “સુવર્ણપ્રાશનને પરંપરાગત રીતે બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ અને જ્ઞાનાત્મક વિકાસને સપોર્ટ આપવામાં તેની ભૂમિકા માટે ઓળખવામાં આવે છે. આ અભ્યાસ, પેઢીઓથી વિશ્વસનીય આયુર્વેદિક પ્રેક્ટિસની આધુનિક ક્લિનિકલ માન્યતા પ્રદાન કરે છે. માપન યોગ્ય ક્લિનિકલ માપદંડ દ્વારા દર્શાવવામાં આવેલા આ પરિણામો, મહત્વપૂર્ણ વૃદ્ધિ વર્ષો દરમિયાન સહાયક પૂરક તરીકે તેના મૂલ્ય અંગે માતાપિતા અને આરોગ્યસંભાળ વ્યાવસાયિકોને વધુ વિશ્વાસ પ્રદાન કરે છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “હજારો માતા-પિતા તરફથી અમને મળી રહેલો પ્રેમ, આશીર્વાદ અને સકારાત્મક પ્રતિસાદ અમને સતત પ્રેરણા અને મજબૂતી આપે છે. અમે એ જણાવતા પણ ગૌરવ અનુભવીએ છીએ કે, અમે હાલમાં જ અમારી નવી જાહેરાત ફિલ્મ ‘સબકો હોના હૈ ગ્રો’ લોન્ચ કરી છે.”

આ ક્લિનિકલ ટ્રાયલ, ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી ઓફ ઈન્ડિયા (CTRI) માં નોંધાયેલી એક સ્વતંત્ર થર્ડ પાર્ટી દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ અભ્યાસને સ્વતંત્ર એથિક્સ કમિટી તરફથી પણ મંજૂરી મળી હતી.

ખાસ નોંધનીય છે કે, સુવર્ણપ્રાશનને આયુર્વેદમાં જટાકર્મ સંસ્કાર અથવા નવજાત શિશુ સંભાળ હેઠળના બાળકો માટે 16 આવશ્યક સંસ્કારોમાંના એક તરીકે વર્ણવવામાં આવ્યું છે. વાસુ સુવર્ણપ્રાશન ડ્રોપ્સમાં સુવર્ણ ભસ્મ, મધ અને વાચા, બ્રાહ્મી અને શંખપુષ્પી જેવા હર્બલ ઘટકોનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ પરંપરાગત રીતે પ્રતિરક્ષા, પાચન, શીખવાની ક્ષમતા અને ઊંઘને સપોર્ટ કરવા માટે થાય છે. આ ફોર્મ્યુલેશન, એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે, દરેક ડોઝમાં આ ઘટકોની એક જેવી ડિલિવરી થઈ શકે.

1980 માં શરૂ થયેલી, વડોદરા સ્થિત વાસુ હેલ્થકેર, એ હર્બલ અને આયુર્વેદિક આરોગ્યસંભાળ ક્ષેત્રમાં જાણીતું નામ છે અને ભારતના આયુર્વેદ પ્રિસ્ક્રિપ્શન માર્કેટમાં ટોચની પાંચ બ્રાન્ડ્સમાં સામેલ છે. આ કંપની આયુર્વેદિક ફોર્મ્યુલેશન, હર્બલ કોસ્મેટિક્સ અને પર્સનલ કેરથી લઈને હર્બલ અને પોષણયુક્ત પ્રોડક્ટના ઉત્પાદન અને માર્કેટિંગ સાથે સંકળાયેલી છે. વાસુ હેલ્થકેર, સમગ્ર ભારતમાં અને 50 થી વધુ આંતરરાષ્ટ્રીય બજારોમાં હાજરી ધરાવે છે, જેમાં 200+ સ્પેશિયલાઇઝ્ડ પ્રોડક્ટનો પોર્ટફોલિયો છે.

કંપની પાસે વડોદરામાં બે વર્લ્ડ ક્લાસ ઉત્પાદન સુવિધાઓ છે અને હાલમાં જ તેની ત્રીજી આયુર્વેદિક ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે, જે WHO ના આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર છે. આ નવી સુવિધા 2,00,000 ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે.