નવસારી (ગુજરાત) [ભારત], 16 જુલાઈ: Ajay’s Cafe એ નવસારીના ધોળાપીપળા ખાતે તેની રેપિડ અને બ્લિટ્ઝ ચેસ ટુર્નામેન્ટની બીજી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ ઈવેન્ટમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી 300 થી વધુ સહભાગીઓ અને પરિવારના સભ્યો એકત્રિત થયા હતા. આ આયોજન સાથે Ajay’s Cafe એ ફરી એકવાર સાબિત કર્યું છે કે કાફે માત્ર ખાણી-પીણી પૂરતું સીમિત નથી, પરંતુ લોકો, પરિવાર અને સમાજને જોડવાનું પણ એક અસરકારક માધ્યમ બની શકે છે.
આ પહેલ દ્વારા, આ સ્વદેશી કાફે બ્રાન્ડ, બૌદ્ધિક રમતો તથા તમામ વર્ગના ટેલેંટને પ્રોત્સાહન આપવાનું તેમજ એવાં અર્થપૂર્ણ સમુદાયિક અનુભવોનું સર્જન કરવાનું સતત જારી રાખે છે, જે “હેપ્પી વાલી ફીલિંગ” આપવાની તેની વચનબદ્ધતા દર્શાવે છે.
આ ટુર્નામેન્ટમાં અંડર-11, અંડર-19 અને ઓપન કેટેગરીનો સમાવેશ થતો હતો. તેમાં નવસારી, સુરત, અંકલેશ્વર, વલસાડ, વાપી, બીલીમોરા અને મુંબઈના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. 3.5 વર્ષના ઉભરતા ચેસ ખેલાડીથી લઈને 80 વર્ષના ઉત્સાહીઓ સુધી, આ ઈવેન્ટે વિવિધ પેઢીઓ વચ્ચે શીખવાની ભાવના અને સ્વસ્થ સ્પર્ધાની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
આ ટુર્નામેન્ટનું સફળ આયોજન ટુર્નામેન્ટના ડિરેક્ટર શ્રી ત્રિશૂલ ડી. પટેલ (NA) ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. AICF અને FIDE સાથે સંકળાયેલા અધિકૃત આર્બિટર્સની દેખરેખ હેઠળ યોજાયેલી આ ટુર્નામેન્ટમાં અનેક FIDE-રેટેડ ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો, જેના કારણે ઉભરતા ચેસ ખેલાડીઓને સ્પર્ધા કરવાની સાથે અનુભવી ખેલાડીઓ પાસેથી શીખવાનો ઉત્તમ અવસર મળ્યો હતો.