દેસાઈ ફાઉન્ડેશને ભારતમાં ૧.૨ કરોડ લોકોના જીવનમાં પરિવર્તન લાવીને પ્રભાવનું સીમાચિહ્ન સર કર્યું
પ્રભાવનું વિસ્તરણ: ૧.૨ કરોડ લોકો સુધી પહોંચવાની સિદ્ધિની દેસાઈ ફાઉન્ડેશન દ્વારા ઉજવણી
સુરત (ગુજરાત) ૨૦ માર્ચ ૨૦૨૬: દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સુરત મેરિયોટ હોટલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાની અત્યાર સુધીની સફર, સામુદાયિક ભાગીદારી અને ભારતના ૮ રાજ્યોમાં ૧.૨ કરોડથી વધુ લોકો સુધી પહોંચવાના મહત્વપૂર્ણ સીમાચિહ્નની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ફાઉન્ડેશનના ભાગીદારો, સમર્થકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પાયાના સ્તરે વિકાસ માટે ફાઉન્ડેશનના ટકાઉ અને સ્કેલેબલ (વિસ્તૃત કરી શકાય તેવા) અભિગમ પર પ્રકાશ પાડયો હતો. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય, આજીવિકા અને માસિક ધર્મ સમાનતા (Menstrual Equity) ક્ષેત્રે કરવામાં આવેલા કાર્યો અને સમુદાય સંચાલિત લાંબા ગાળાના પરિવર્તન પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવવામાં આવી હતી.
સભાને સંબોધતા મેઘા દેસાઈ (પ્રમુખ), મિત્તલ ગોહિલ (એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર) અને મનોજ પાંડા (ડેવલપમેન્ટ ડાયરેક્ટર) એ ફાઉન્ડેશનની વૃદ્ધિ અને વિઝન વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે સહયોગ અને નવીનતા દ્વારા આટલા મોટા પાયે પ્રભાવ પાડી શકાયો છે.
“એક દાયકા કરતા વધુ સમયથી અમે માનતા આવ્યા છીએ કે માસિક ધર્મ દરમિયાન ગરિમા જાળવવી એ કોઈ વિશેષાધિકાર નથી, પરંતુ મૂળભૂત અધિકાર છે. આર્ટિકલ ૨૧ હેઠળ મળેલી તાજેતરની માન્યતા સાથે, હવે આ માન્યતા રાષ્ટ્રીય સ્તરે ગુંજી રહી છે. અમારી મુખ્ય પહેલો અને સમુદાય સંચાલિત મોડેલો દ્વારા, અમે સમગ્ર ભારતમાં આ પ્રભાવને વિસ્તારવા માટેનો માર્ગ બનાવી રહ્યા છીએ – જેથી ભારતની દરેક કન્યાને જરૂરી માહિતી, ઉત્પાદનો અને ગરિમા મળે જેના તે હકદાર છે.” — મેઘા દેસાઈ, પ્રમુખ
મિત્તલ ગોહિલે કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન સંસ્થાની મક્કમતા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે ફાઉન્ડેશને ૨૫૦ થી વધુ વધારાના સભ્યોની નિમણૂક કરીને મેદાનમાં પોતાની હાજરી વધારી હતી, તેવા સમયે જ્યારે ઘણી સંસ્થાઓએ તેમની કામગીરી સ્થગિત કરી દીધી હતી.

“કોવિડ-૧૯ દરમિયાન, જ્યારે ઘણી સંસ્થાઓ થંભી ગઈ હતી, ત્યારે અમે આગળ વધવાનું પસંદ કર્યું. અમારી ટીમના સભ્યોની સંખ્યામાં ૨૫૦ થી વધુનો વધારો કરીને અમે સુનિશ્ચિત કર્યું કે સમુદાયોને જરૂરી સહાય મળતી રહે. તે સમયની મક્કમતા આજે પણ અમારી કાર્યશૈલીને વ્યાખ્યાયિત કરે છે.” — મિત્તલ ગોહિલ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર
દેસાઈ ફાઉન્ડેશનના ટ્રસ્ટી, ઉદ્યોગસાહસિક અને TiE સુરતના ભૂતપૂર્વ પ્રમુખ કશ્યપ પંડ્યાએ સામાજિક ક્ષેત્રે ‘સ્કેલેબિલિટી’ (વ્યાપ વધારવાની ક્ષમતા) ના મહત્વ પર ભાર મૂક્યો હતો.
“દેસાઈ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા કામની વ્યાપકતા ખરેખર અસાધારણ છે. માત્ર એક દાયકામાં ૧.૨ કરોડ જીવનને પ્રભાવિત કરવા અને તે પણ ગુણવત્તા જાળવી રાખીને, તે એવી સિદ્ધિ છે જે બહુ ઓછી સંસ્થાઓ હાંસલ કરી શકી છે.” — કશ્યપ પંડ્યા, ટ્રસ્ટી, દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ; બોર્ડ મેમ્બર, TiE સુરત
મનોજ પાંડાએ પ્રભાવ પાડવા માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
“આટલા મોટા પાયે પ્રભાવ માત્ર સામૂહિક પ્રયાસો દ્વારા જ શક્ય છે. દરેક ભાગીદાર, સમર્થક અને વ્યક્તિ પાસે આ સફરમાં યોગદાન આપવાની શક્તિ છે — અને સાથે મળીને, અમે આ પ્રભાવને વધુ આગળ લઈ જઈ શકીએ છીએ.” — મનોજ પાંડા, ડેવલપમેન્ટ ડાયરેક્ટર
CSR ભાગીદારોએ પણ સહયોગ અને ટકાઉપણું (Sustainability) વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ચિરાગ પરમારે (સ્વતંત્ર માઇક્રો હાઉસિંગ ફાયનાન્સ કોર્પોરેશન) ફાઉન્ડેશનના નૈતિક અને સમુદાય-કેન્દ્રી અભિગમ વિશે વાત કરી:
“દેસાઈ ફાઉન્ડેશનની જે બાબત અલગ તરી આવે છે તે છે સમુદાયો સાથે તેમનું ઊંડું જોડાણ. તેમનો અભિગમ સર્વગ્રાહી, નૈતિક અને કાયમી પરિવર્તન માટે ‘વન-સ્ટોપ સોલ્યુશન’ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે.”
મહેશ સી. ડેરિયાએ (સુદર્શન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ) ફાઉન્ડેશનના મોડેલ્સની ટકાવપણા પર ભાર મૂક્યો:
“દેસાઈ ફાઉન્ડેશનની તાકાત તેના મોડેલ્સના ટકાઉપણામાં રહેલી છે. ‘બાલ સંગિની’ જેવી પહેલ સુનિશ્ચિત કરે છે કે પ્રોજેક્ટ પૂરો થયા પછી પણ સમુદાય તે કાર્યને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે — તે જ સાચો પ્રભાવ છે.”
કાર્યક્રમનો અંત ગ્રામીણ ભારતમાં સમુદાયો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોના સશક્તિકરણના મિશનને ચાલુ રાખવા અને ફાઉન્ડેશનના વ્યાપને વિસ્તારવાની નવી પ્રતિબદ્ધતા સાથે થયો હતો.
દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ વિશે
દેસાઈ ફાઉન્ડેશન એક બિન-લાભકારી સંસ્થા (NGO) છે જે ગ્રામીણ ભારતમાં મહિલાઓ અને બાળકો માટે આરોગ્ય, આજીવિકા અને માસિક ધર્મ સમાનતાના સ્તરને ઊંચું લાવવા માટે સમર્પિત છે. ૨૭ વર્ષથી વધુની સફળતા અને ૮ રાજ્યોમાં ફેલાયેલી કામગીરી સાથે, ફાઉન્ડેશન ઉચ્ચ-પ્રભાવશાળી પહેલો દ્વારા સમુદાયોને તેમની પરિસ્થિતિથી ઉપર ઉઠીને સપના જોવાનું સશક્તિકરણ પૂરું પાડે છે.